'પરિશ્રમ અને ધગશથી સિદ્ધિ મળે જ’ આ છે ભરૂચ કલેકટર ડૉ. સુમેરાની ધોરણ 10ની માર્કશીટ; અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ છતાં UPSC પાસ કરી હતી
'પરિશ્રમ અને ધગશથી સિદ્ધિ મળે જ’ આ છે ભરૂચ કલેકટર ડૉ. સુમેરાની ધોરણ 10ની માર્કશીટ; અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ છતાં UPSC પાસ કરી હતી
બી.એડ થયા બાદ તેમણે ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી શરૂ કરી હતી. ત્યારે તેમનો પગાર હતો મહિનાના 2,500 રૂપિયા. નોકરી દરમિયાન જ તેમણે આઇએએસ અધિકારી બનવાનું નકકી કર્યું હતું. તેમણે પોતાના પરિવારમાં આ વાત કરતાં પરિવાર તરફથી પ્રોત્સાહન મળ્યું હતું. દસમા ધોરણમાં માંડ માંડ પાસ થનાર અને કોલેજ સુધી પોતાના નામનો સ્પેલિંગ પણ બરોબર ન લખી શકનાર કલેક્ટર બનવાનું સપનું જુએ એટલે લોકો મશ્કરી કરે એ સ્વાભાવિક છે, પરંતુ એ છોકરો કોઈની વાત કાને ધર્યા વગર તેઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો હતો.
2012ના વર્ષમાં આ તેમણે ભારત દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી અને આઈએએસ બની ગયા હતા. અત્યારે તેઓ ભરૂચમાં કલેકટર તરીકે સેવાઓ આપે છે. થોડા દિવસ પહેલાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલેકટર તરીકે ડૉ. તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલાં કામની નોંધ લઇને ટ્વિટર પર પણ તેમનો ઉલ્લેખ કર્યો હતો.
10મા ધોરણમાં સાવ સામાન્ય પરિણામ લાવનાર વિદ્યાર્થી ધારે તો એવું કામ પણ કરી શકે, જેની વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાને નોંધ લેવી પડે. તેમણે જણાવ્યું હતું કે નબળા પરિણામથી કારકિર્દીના બધા જ દરવાજાઓ બંધ નથી જતા, માટે કોઈપણ જાતની ચિંતા કે ડર વગર જે પરિણામ આવ્યું છે એનો સ્વીકાર કરીને આગળ વધજો. ભવિષ્યમાં તમને પણ સફળતાનો સ્વાદ ચાખવા મળશે. વાલીઓ પણ આ વાત સમજે કે ટકાવારી જરૂરી છે પણ ટકાવારી જ સર્વસ્વ નથી.

0 Response to "'પરિશ્રમ અને ધગશથી સિદ્ધિ મળે જ’ આ છે ભરૂચ કલેકટર ડૉ. સુમેરાની ધોરણ 10ની માર્કશીટ; અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ છતાં UPSC પાસ કરી હતી"
ટિપ્પણી પોસ્ટ કરો