યમુનોત્રી જઈ રહેલી બસ ઊંડી ખીણમાં પડી; 17 શ્રદ્ધાળુના મોત, બસમાં 40 લોકો મુસાફરી કરતા હતા
યમુનોત્રી જઈ રહેલી બસ ઊંડી ખીણમાં પડી; 17 શ્રદ્ધાળુના મોત, બસમાં 40 લોકો મુસાફરી કરતા હતા
ઉત્તરાખંડમાં ભીષણ અકસ્માત સર્જાયો છે. યમુનોત્રી જઈ રહેલી બસ ઊંડી ખીણમાં પડી ગઈ છે. આ બસમાં ઓછામાં ઓછા 40 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા.પોલીસ અને SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય હાથ ધર્યું છે.યમુનોત્રી નેશનલ હાઈવે પર ડામવા નજીક આ દુખદ ઘટના સર્જાઈ છે. બસ અનિયંત્રિત થઈ ખીણમાં પડી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા 17 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ બસ આશરે 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ ઘટનામાં મોટાભાગના લોકોની સ્થિતિ ગંભીર હોવાની માહિતી મળી છે.

0 Response to "યમુનોત્રી જઈ રહેલી બસ ઊંડી ખીણમાં પડી; 17 શ્રદ્ધાળુના મોત, બસમાં 40 લોકો મુસાફરી કરતા હતા"
ટિપ્પણી પોસ્ટ કરો