-->
તરબૂચને ફ્રીજમાં રાખીને ખાવાની ભૂલ કરશો નહી, પડી શકો છો બિમાર

તરબૂચને ફ્રીજમાં રાખીને ખાવાની ભૂલ કરશો નહી, પડી શકો છો બિમાર

તરબૂચને ફ્રીજમાં રાખીને ખાવાની ભૂલ કરશો નહી, પડી શકો છો બિમાર


તડબૂચમાં ગરમીની સિઝનમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. તડબૂચમાં ઘણાં પોષક તત્વો હોય છે. પણ ફ્રીજમાં તડબૂચ રાખ્યા બાદ ક્યારેય પણ ખાશો નહીં..આવું કરવાથી તમને પડી શકે છે મુશ્કેલી.

ગરમીની સિઝનમાં લોકો ઘણી વાર પાણીયુક્ત ફળોનું સેવન કરવાનું પસંદ કરે છે. જેમાં હાઇડ્રેટેડ હોય છે. આવામાં સૌથી પહેલા તડબૂચનું નામ જ આવે છે. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે, જે ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં પ્રોટીન, વિટામીન, ફાઈબર વગેરે જેવા ઘણા પૌષ્ટિક તત્વો મળી આવે છે. તે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે કારણ કે તેમાં રહેલા ફાઈબર ભૂખને નિયંત્રિત કરે છે. પરંતુ મોટાભાગના લોકો ખરીદ્યા પછી તેને કાપીને ફ્રિજમાં રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે તરબૂચને ફ્રીજમાં રાખવાથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે તરબૂચને ફ્રીજમાં રાખીને ખાવાના શું નુકસાન થાય છે.

જાણો તરબૂચને ફ્રીજમાં રાખીને ખાવાથી થતાં નુકસાન વિશે

પોષક તત્વમાં થશે ઘટાડો
તરબૂચને ફ્રીજમાં ન રાખવું જોઈએ. તરબૂચની છાલનો ભાગ ખૂબ જ જાડો હોય છે. જેના કારણે તરબૂચ ઝડપથી બગડતું નથી અને તેને લગભગ 15-20 દિવસ સુધી રાખી શકાય છે, જેના કારણે તેને ફ્રીજમાં રાખવાની જરૂર નથી. જો તમે હજી પણ તેને ફ્રીજમાં રાખતા હોવ તો તેને આખું રાખો, તરબૂચને ક્યારેય કાપશો નહીં. રેફ્રિજરેટરમાં રાખવામાં આવેલ તરબૂચ તેના પોષક તત્વોને ઘટાડે છે, સાથે જ તેમાં જોવા મળતા કેરોટીનોઈડનું સ્તર પણ ઘટે છે. 

ઠંડા તરબૂચ ખાવાના ગેરફાયદા
તરબૂચ એક પાણીયુક્ત ફળ છે જે ઉનાળામાં રાહત આપે છે, પરંતુ તેને ફ્રીજમાં રાખવાથી તેનું પોષણ ઘટે છે, સાથે જ ઠંડા તરબૂચને ખાવાથી ખાંસી અને શરદીની પણ શક્યતા રહે છે. આ સાથે જો તમે લાંબા સમય પહેલા કાપીને ઠંડા તરબૂચ ખાઓ છો, તો તમને ફૂડ-પોઇઝનિંગ થવાની સંભાવના વધારે છે, આ સ્થિતિમાં તમે તમારું તેમજ તમારા પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગાડી રહ્યા છો. તેથી હંમેશા ફક્ત તાજા તરબૂચ જ ખાઓ અને તમારી આરોગ્ય




0 Response to "તરબૂચને ફ્રીજમાં રાખીને ખાવાની ભૂલ કરશો નહી, પડી શકો છો બિમાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel