અમદાવાદ : પ્રોપર્ટી ભાડે આપતા પૂર્વે અશાંત ધારાની મંજૂરી જરુરી, પિતા પુત્રને મિલકત બક્ષિસ આપે તો પણ પરવાનગી લેવી પડશે
પ્રોપર્ટી ભાડે આપતા પૂર્વે અશાંત ધારાની મંજૂરી જરુરી, પિતા પુત્રને મિલકત બક્ષિસ આપે તો પણ પરવાનગી લેવી પડશે
રાજ્યમાં હવેથી અશાંત વિસ્તારમાં આવતા વિસ્તારોમાં મકાન ભાડે આપવાનું હશે તો અશાંત ધારાની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. જો તેમ નહીં કરવામાં આવે તો કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે તેવો પરિપત્ર તાજેતરમાં જ કરવામાં આવ્યો છે. મકાનની લે-વેચ, ગીરો, બક્ષીસમાં પણ અશાંત ધારાની પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે. આ પરિપત્રથી ઘણી મોટી અસર ભાડાના વેપાર પર પડશે. રાજ્ય સરકારે 11 માર્ચે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે અશાંત વિસ્તારમાં કોમી એક્તા જળવાઈ રહે તે હેતુથી ગુજરાત અશાંત ધારા 1991 હેઠળ અલ વિસ્તાર સમાવિષ્ટ થયા છે. આ કાયદા મુજબ સમાવિષ્ટ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારે વેચાણ, તબદીલી, બક્ષીસ, અદલ બદલ, ગીરો, લીવ એન્ડ લાઈસન્સથી ભાડે આપવી કે અન્ય રીતે ટ્રાન્સફર કરતા પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટરની પૂર્વ પરવાનગી લેવાની રહેશે. કલેક્ટરની પૂર્વ મંજૂરી મળ્યા પછી જ મિલકત તબદીલ ટ્રાન્સફર કરી શકાય છે.
અશાંત ધારા કાયદા હેઠળ સમાવિષ્ટ વિસ્તારમાં પ્રોપર્ટીને ભાડેથી આપવા, બક્ષીસ, ગીરો કે અન્ય કઈ રીતે વિધર્મઓને તબદીલ કરેલ હોય તેનું ધ્યાને આવેલું છે. જેના કારણે સમયાંતરે બેકોમ વચ્ચે ઘર્ષણ થવા અંગેના બનાવો ખાસ કરીને સુરત શહેરમાં બનવા પામ્યા છે. આથી અશાંત ધારા કાયદા હેઠળ સમાવિષ્ટ તમામપ્રકારની મિલકતોના કોઈપણ પ્રકારે વેચાણ કે બક્ષીસ, અદલાબદલી, લીઝ, ગીરો, લીવ એન્ડ લાઈસન્સ કે અન્ય કોઈપણ પ્રકારે નોટરાઈઝ્ડ કે એફીડેવીટ કરતા પહેલાં અશાંત ધારા કાયદા હેઠળની જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા કિસ્સામાં એફિડેવિટ કે નોટરીની કાર્યવાહી કરવાની રહેશે. અશાંત ધારાની પૂર્વ મંજૂરી વગર કાર્યવાહી કરવી એ ગુનો બનશે. આ કાયદાનો કડક અમલ કરાવવા તમામ એડવોકેટ અને નોટરીને પણ કહેવામાં આવ્યું છે.
0 Response to "અમદાવાદ : પ્રોપર્ટી ભાડે આપતા પૂર્વે અશાંત ધારાની મંજૂરી જરુરી, પિતા પુત્રને મિલકત બક્ષિસ આપે તો પણ પરવાનગી લેવી પડશે"
ટિપ્પણી પોસ્ટ કરો