સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પૂનમ નિમિતે દિવ્ય વાઘા ધરાવી સિંહાસનનો ફુલો વડે દિવ્ય શણગાર કરાયો
સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પૂનમ નિમિતે દિવ્ય વાઘા ધરાવી સિંહાસનનો ફુલો વડે દિવ્ય શણગાર કરાયો
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે પૂનમ નિમિતે દિવ્ય વાઘા ધરાવી સિંહાસનને ફુલો વડે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પૂનમ નિમિતે તા.16-5-2022ને સોમવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સિંહાસનને ફુલો વડે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિરનાં પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પૂનમ નિમિતે તા.16-5-2022ને સોમવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સિંહાસનને ફુલો વડે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિરનાં પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
પૂનમ નિમિતે આજે રોજ સાંજે 5 કલાકે દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચન કરી સંધ્યા આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરી પૃષ્પાભિષેક કરવામાં આવશે. દાદાના દિવ્ય વાઘા ધરાવી સિંહાસનને ફુલો વડે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.


0 Response to "સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પૂનમ નિમિતે દિવ્ય વાઘા ધરાવી સિંહાસનનો ફુલો વડે દિવ્ય શણગાર કરાયો"
ટિપ્પણી પોસ્ટ કરો