-->
PM લુમ્બિની પહોંચ્યા, થોડી જ વારમાં બુદ્ધપૂર્ણિમાની વિશેષ પ્રાર્થનામાં સામેલ થશે

PM લુમ્બિની પહોંચ્યા, થોડી જ વારમાં બુદ્ધપૂર્ણિમાની વિશેષ પ્રાર્થનામાં સામેલ થશે

 

PM લુમ્બિની પહોંચ્યા, થોડી જ વારમાં બુદ્ધપૂર્ણિમાની વિશેષ પ્રાર્થનામાં સામેલ થશે




નેપાળના PM શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નેપાળ મુલાકાતે પહોંચ્યા છે. અહીં નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દઉબાએ હેલિપેડ પર તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારપછી વડાપ્રધાન મોદીએ નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સાથે મહામાયા દેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ સિવાય બુદ્ધ પૂર્ણિમાના દિવસે તેઓ અશોક સ્તંભની સામે ઘીનો દિવો પણ પ્રગટાવશે અને બોધિ વૃક્ષને જળ ચડાવશે. આ વૃક્ષ તેમણે ડ 2014માં નેપાળને ભેટ કર્યું હતું.

વડાપ્રધાન મોદી 2566મી બુદ્ધજયંતીની ઉજવણીમાં પણ હાજરી આપશે. તેઓ બૌદ્ધ વિદ્વાનો અને સાધુઓ સહિત નેપાળ તથા ભારતના લોકોને સંબોધન કરશે. PMની આ મુલાકાતનો હેતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરા સાથે નેપાળ-ભારત વચ્ચે સદીઓ જૂના ધાર્મિક સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે.


બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજની આધારશિલા મૂકશે
વડાપ્રધાન નેપાળમાં ભારતની પહેલ પર બનાવવામાં આવી રહેલા ઈન્ડિયા-ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજની આધારશિલા મૂકશે. આ જગ્યા પર બૌદ્ધ પરંપરાનો અભ્યાસ થશે.

સાંસ્કૃતિક-શૈક્ષણિક ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા સંભવ
ભારત અને નેપાળના વડાપ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાય એવી શક્યતા છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે સહયોગ વધારવા માટે ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાન મોદીના સન્માનમાં ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો છે, જેમાં નેપાળી પીએમ તેમની કેબિનેટ સાથે હાજર રહેશે.

2014 પછી પીએમ મોદીની નેપાળની આ પાંચમી મુલાકાત
PM મોદી 2014થી અત્યારસુધી ચાર વખત નેપાળની મુલાકાત લઈ ચૂક્યા છે. એ જ સમયે, 2019ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ આ તેમની પ્રથમ નેપાળ મુલાકાત છે. પીએમ મોદીએ તેમની છેલ્લી મુલાકાતમાં કાઠમંડુમાં પશુપતિનાથ મંદિર, જનકપુર ધામમાં જાનકી માતા મંદિર અને મુસ્તાંગમાં મુક્તિનાથ મંદિરની મુલાકાત લીધી હતી.

નેપાળના વડાપ્રધાન દેઉબા તાજેતરમાં ભારત આવ્યા હતા
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ તાજેતરમાં તેમની ભારત મુલાકાત દરમિયાન નવી દિલ્હી અને વારાણસીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કાશી વિશ્વનાથ અને કાલ ભૈરવ મંદિરમાં પૂજા- અર્ચના કરી હતી. આ પછી તેણે વારાણસીમાં વિધવાઓ માટે શેલ્ટર હોમનો પણ પાયો નાખ્યો.




0 Response to "PM લુમ્બિની પહોંચ્યા, થોડી જ વારમાં બુદ્ધપૂર્ણિમાની વિશેષ પ્રાર્થનામાં સામેલ થશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel