ભરૂચ જિલ્લામાં રમઝાન ઇદના પર્વની ઉજવણી, ઇદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી
ભરૂચ જિલ્લામાં રમઝાન ઇદના પર્વની ઉજવણી, ઇદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી
ભરૂચ જિલ્લામાં આજરોજ રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી. આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા ધાર્મિક તહેવારો માટે છૂટછાટ આપવામાં આવી હતી. ભરૂચમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા આજરોજ ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન માસમાં રોજા રાખી ખુદાની બંદગી અને ઈબાદત કરી હતી. ગતરોજ ચાંદ દેખાતા મંગળવારના રોજ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ફૂલ-ફિત્રની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી ભરૂચ શહેરમાં આવેલ ઇદગાહ મેદાન ખાતે વિશેષ નમાજ અદા કરી એકમેકના ઘરે જઈ ઇદની શુભેચ્છા પાઠવી મોઢું મીઠું કરી પર્વની ઉજવણી કરી હતી.
અંકલેશ્વરના ઇદગાહ મેદાન ખાતે પણ નમાજ અદા કરવામાં આવી હતી અને દેશમાં ભાઈચારા સાથે એમાં શાંતિ બની રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી અને એકમેકને ઈદની શુભેચ્છા પાઠવી હતી ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ અને ડીવાયએસપી ચિરાગ દેસાઈએ રમઝાન ઇદના તહેવાર શાંતિ સુલેહ જળવાઈ રહે તે માટે અંકલેશ્વરના ઇદગાહ મેદાન ખાતે પહોંચ્યા હતા અને મુસ્લિમ બિરાદરોને ઈદના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી.

0 Response to "ભરૂચ જિલ્લામાં રમઝાન ઇદના પર્વની ઉજવણી, ઇદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી"
ટિપ્પણી પોસ્ટ કરો