-->
ગુમ થયેલા મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ વડોદરા પાસે હાઇવે પર ચાલતા જતાં CCTVમાં નજરે પડ્યા

ગુમ થયેલા મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ વડોદરા પાસે હાઇવે પર ચાલતા જતાં CCTVમાં નજરે પડ્યા

 

ગુમ થયેલા મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ વડોદરા પાસે હાઇવે પર ચાલતા જતાં CCTV માં નજરે પડ્યા




- હરિહરાનંદ બાપુનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો
- મારી પાસે આશ્રમ માગે છે અને દબાણ કરે છેઃ હરિહરાનંદ ભારતીજી

ભારતી આશ્રમના મહંત સ્વામી હરિહરાનંદ ભારતીજી વડોદરાની કપુરાઇ ચોકડીથી ગુમ થયાની અરજી વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે પણ તેમની શોધખોળ હાથ ધરી છે, ત્યારે ગુમ થયાની રાત્રે તેઓ કપુરાઇ ચોકડી નજીક આવેલી હોટલ ક્રિષ્ના બહાર લાગેલી CCTVમાં કેદ થયા છે. કેમેરામાં નજરે પડે છે કે તેઓ રોડ પર ચાલતા જઇ રહ્યા છે. જેથી હવે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય હરિહરાનંદ ભારતીનો આ સાથે જ એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં તેઓ અમદાવાદના સરખેજની ગાદીના વિવાદને કારણે આશ્રમ છોડીને જઇ રહ્યા છે તેવુ જણાવી રહ્યા છે.

અમદાવાદ મેડિકલ ચેકઅપ માટે ગયા હતા
પરમેશ્વર ભારતી (રહે. શ્રી ભારતી આશ્રમ, ગુરડેશ્નર, જિલ્લો નર્મદા) એ વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે, અમારા આશ્રમના ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ગત તા. 30 એપ્રિલ 2022ના રોજ બપોરના આશરે 12 વાગ્યે અમારા આશ્રમ કેવડિયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ ડૉ. રવિન્દ્ર લોઢાની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે નિકળ્યા હતા. અને ચેકઅપ કરાવી સાંજના આશરે સાડા પાંચ વાગ્યે કેવડિયા આશ્રમ ખાતે આવવા નિકળ્યા હતા.

વડોદરામાં અનુયાયીને ત્યાં રોકાયા બાદ રસ્તામાંથી ગુમ થયા
વડોદરા શહેરમાં રહેતા તેમના એક સેવક રાકેશભાઇ રસિકભાઇ ડોડિયા (રહે. રુદ્રાક્ષ હાઇટ્સ, કપુરાઇ ચોકડી પાસે) રાત્રી ભોજન કરવા માટે ગયા હતા. જ્યાં રાત્રે આશરે નવ વાગ્યેને તેમણે કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે તેમના શિષ્ય કાળુ ભારતી પાસે જવાનું કહેતા રાકેશભાઇ ડોડિયાએ હરિહરાનંદ મહારાજને કપુરાઇ ચોકડી પાસે આવેલ પોલીસ ચેકપોસ્ટની પાછળ હનુમાન દાદાની ડેરીએ કારમાંથી ઉતાર્યા હતા. ત્યાર બાદ રાકેશભાઇ તેમના ઘરે જતા રહ્યા હતા.

કોઇ આશ્રમમાં ભાળ ન મળી
બાદમાં હરિહરાનંદ મહારાજ ગઇકાલ તા. 1 મે 2022ના સવારના 10 વાગ્યા સુધી કેવડિયા આશ્રમે ન પહોંચતા આ અંગે કાળુ ભારતીને ફોન કરી પૂછતા તેમણે હરિહરાનંદ તેમને મળવા જ આવ્યા નથી તેમ જણાવ્યું હતું. જેથી રાકેશભાઇ ડોડિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, તેમણે તો બાપુને કપુરાઇ ચેકપોસ્ટ પાસે કારમાંથી ઉતાર્યા હતા બાદમાં બાપુ વિશે કંઇ ખબર નથી. જેથી બાપુ અંગે જૂનાગઢ સહિતના વિવિધ આશ્રમોમાં તપાસ કરતા હરિહરાનંદ ભારતીજીની કોઇ ભાળ મળી નથી.


0 Response to "ગુમ થયેલા મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ વડોદરા પાસે હાઇવે પર ચાલતા જતાં CCTVમાં નજરે પડ્યા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel