મહેસૂલી કામકાજ માટે ખેડૂતોને ગાંધીનગરના ધક્કા નહીં થાય,
મહેસૂલી કામકાજ માટે ખેડૂતોને ગાંધીનગરના ધક્કા નહીં થાય, નવી જૂની શરતોના પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ થશે
સમગ્ર મહેસૂલી વહીવટમાં એકસૂત્રતા અને પારદર્શીતા આવશે
અગાઉ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે આવા ઉભા થતા પ્રશ્નોના નિવારણ માટે અરજદારોને રાજ્ય કક્ષા સુધી આવવું પડતું હતુ. પરિણામે મહેસૂલ વિભાગની કામગીરીનું ભારણ વધતુ અને જુદા જુદા અર્થઘટનોને કારણે આવા પ્રશ્નોના નિવારણમાં ખુબ વિલંબ થતો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ વિષય આવતા તેમણે મક્કમતાપૂર્ણ ત્વરીત નિર્ણાયકતાથી આ સમગ્ર બાબતનું સુચારૂ નિરાકરણ લાવવા મહેસૂલ મંત્રી અને મહેસૂલ વિભાગને દિશાનિર્દેશ આપ્યા હતાં. આના પરિણામ સ્વરૂપે મહેસૂલ વિભાગે આવા નાબૂદ થયેલા ૨૪ જેટલા કાયદાઓની બાબતમાં અગાઉ નવી અને જુની શરતની જમીનો બાબતે પ્રવર્તતી અસમંજસતા-દ્વિધા દુર કરવા વિસ્તૃત કાર્ય આયોજન કર્યુ છે અને આ અંગેની વિગતવાર સુચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.
0 Response to "મહેસૂલી કામકાજ માટે ખેડૂતોને ગાંધીનગરના ધક્કા નહીં થાય,"
ટિપ્પણી પોસ્ટ કરો