ભરૂચ જિલ્લા ભાજપમાં ખુશીનો માહોલ ઝઘડિયાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ સહિત સહકારી આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
ભરૂચ જિલ્લા ભાજપમાં ખુશીનો માહોલ ઝઘડિયાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ સહિત સહકારી આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં આ વખતે ભાજપે કેસરિયો લહેરાવવાની નેમ વ્યક્ત કરી છે. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારના સૌના સાથ અને સૌના વિકાસની કાર્યપદ્ધતિથી પ્રેરાઈ ઝઘડિયા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ તેમજ સહકારી આગેવાન તેમના સમર્થકો સાથે વિધિવત ભાજપમાં જોડાયા હતા.
ભરૂચ જિલ્લામાં પણ ભાજપ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પાંચેય બેઠકો પર કેસરિયો લહેરાવવા મક્કમ અને મજબૂત છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, કાર્ય પદ્ધતિથી પ્રભાવિત થઈ ઝઘડિયા તાલુકામાંથી ગઇકાલે બુધવારે કોંગી અને સહકારી આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો હતો.
ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ધર્મેશ મિસ્ત્રી, જનક મોદી, મંત્રી નિશાંત મોદીની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ મનોજ દેસાઈ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યુવરાજસિંહ બારોટ, સહકારી આગેવાન જ્યેન્દ્રસિંહ પરમાર વિધિવત ભાજપમાં જોડાયા હતા. જેમને ભાજપનો ખેસ પહેરાવી આવકાર અપાયો હતો.
આ પ્રસંગે તેઓના સમર્થકો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. જેમને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આગામી ચૂંટણીમાં ઝઘડિયા વિધાનસભા ઉપર પણ ભારતીય જનતા પાર્ટી જીત હાંસલ કરશે.
0 Response to "ભરૂચ જિલ્લા ભાજપમાં ખુશીનો માહોલ ઝઘડિયાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ સહિત સહકારી આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા"
ટિપ્પણી પોસ્ટ કરો