-->
હવે ગુજરાતના માત્ર 2 શહેરોમાં જ રાત્રિ કર્ફ્યુ

હવે ગુજરાતના માત્ર 2 શહેરોમાં જ રાત્રિ કર્ફ્યુ

 


રાજ્ય સરકારે કોરોના મામલે પ્રતિબંધોમાં મોટી છૂટછાટ આપી, હવે માત્ર 2 મહાનગરમાં જ નાઈટ કર્ફ્યૂ, તો લગ્ન અને અન્ય કાર્યક્રમોમાં ક્ષમતાના 75%ની છૂટ


રાજ્ય સરકારે કોરોનાની નવી SOP જાહેર કરી છે. 6 મનપાને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તી અપાઇ જેથી હવે અમદાવાદ અને બરોડામાં જ રહેશે રાત્રિ કર્ફ્યુ રહેશે. વેપારીઓને તકલીફ ન થાય તેને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે. હવેથી લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે નહીં.


અમદાવાદ અને વડોદરા શહેરમાં રાત્રે 12થી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ

બન્ને શહેરોમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન હોટેલ/રેસ્ટોરન્ટ્સમાંથી હોમ ડિલિવરી સેવાને છૂટ

તમામ પ્રકારના રાજકીય, સામાજીક(લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો,

રમત-ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ

તથા મનોરંજક સ્થળોમાં, ખુલ્લા સ્થળની ક્ષમતાના 75 ટકા લોકોને, બંધ સ્થળની ક્ષમતાના

બંધ સ્થળોએ 50 ટકા લોકોને મંજૂરી

હવેથી લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે નહીં

તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનના 2 ડોઝ ફરજિયાત રહેશે

બસ અને લક્ઝરીમાં 100 ટકા ક્ષમતા સાથે મુસાફરીને મંજૂરી

જીમ, બાગ-બગીચા સંપૂર્ણ ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે

18-02-2022થી 25-02-2022 સુધી નવા નિયંત્રણો લાગૂ રહેશે


સોમવારથી શાળાઓ સંપૂર્ણ ઓફલાઇન શરૂ થશે

શિક્ષણના વિશાળ જાહેર હિતમાં સરકારની માર્ગદર્શન,વિચાર વિમર્ષ અને સુચના મુજબ આજની કોર કમિટીમાં થયેલ ચર્ચા અન્વયે તા.21, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ શાળા-કોલેજોએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે.વિદ્યાર્થીઓ/વાલીઓ/શાળા-કોલેજોના સંચાલકોને ઓફલાઇન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે તે બાબત ધ્યાને લેતાં આ નિર્ણયનું અમલીકરણ તા.21, સોમવારથી થશે.

0 Response to "હવે ગુજરાતના માત્ર 2 શહેરોમાં જ રાત્રિ કર્ફ્યુ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel