ભગવંત માન 17મા મુખ્યમંત્રી બનશે; ખટકડ કલાંથી શરૂ થયું રાજકીય જીવન, કેજરીવાલ કેબિનેટ સાથે હાજર રહેશે
ભગવંત માન 17મા મુખ્યમંત્રી બનશે; ખટકડ કલાંથી શરૂ થયું રાજકીય જીવન, કેજરીવાલ કેબિનેટ સાથે હાજર રહેશે
પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન આજે બપોરે 12.30 કલાકે શપથ લેશે. તેઓ પંજાબના 17મા મુખ્યમંત્રી હશે. માનનો શપથ ગ્રહણ સમારોહ, શહીદ ભગત સિંહનું મૂળ ગામ, ખટકડ કલાંમાં યોજાઈ રહ્યો છે. અહીંથી 2011માં પંજાબના સફળ કોમેડિયન રહેલા ભાગવત માને પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં લગભગ 2 લાખ લોકો આવવાની આશા છે. પુરૂષો બસંતી પાઘડી અને મહિલાઓ દુપટ્ટા અથવા ચુદડી પહેરીને ખટકડ કલાં પહોંચશે. આ સમારોહમાં આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સમગ્ર મંત્રીમંડળ સાથે હાજર રહેશે.
0 Response to "ભગવંત માન 17મા મુખ્યમંત્રી બનશે; ખટકડ કલાંથી શરૂ થયું રાજકીય જીવન, કેજરીવાલ કેબિનેટ સાથે હાજર રહેશે"
ટિપ્પણી પોસ્ટ કરો