પુરસા ગામે ધર્માંતરણ કાંડના 4 આરોપીઓ સામે વધુ 5 કલમોનો ઉમેરો, ભોલાવનો મૌલવી હજુ વોન્ટેડ
પુરસા ગામે ધર્માંતરણ કાંડના 4 આરોપીઓ સામે વધુ 5 કલમોનો ઉમેરો, ભોલાવનો મૌલવી હજુ વોન્ટેડ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા બાદ પુરસા ગામે પણ રોકડ, લોભ, પ્રલોભન, ધમકી આપી ધર્માંતરણના વધુ એક કાંડનો ઘટસ્ફોટ થયો હતો. આમોદ પોલીસ મથકે 5 કટ્ટરપંથીઓ સામે ગુનો દાખલ કરાયો હતો. જેમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જ્યારે આ કેસમાં ભોલાવનો મૌલવી અબ્દુલ રહીમ હાફે નાપવાલા હજુ વોન્ટેડ છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ સામે વધુ 466, 467, 468, 471, 120 બી, એટ્રોસિટી એક્ટ કલમ 3 (2) ( 5) કલમોનો ઉમેરો કરાયો હતો.
આમોદ પોલીસ સ્ટેશનમાં 16 માર્ચે ફરીયાદી છગનભાઇ પરમારે 5 આરોપીઓ વિરૂદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કલમ 4, 5 તથા ઇપીકો કલમ 406, 420, 504, 506 (2), 114 એટ્રોસીટી એક્ટ મુજબ ફરીયાદ દાખલ કરાવી હતી. સંવેદનશીલ ગુનાની તપાસ દરમિયાન ગામના જ 4 આરોપી અનવરખાં ઇબ્રાહીમખાં પઠાણ, ગેમલસંગ ભારતસંગ સિંધા, ઇમરાન નુરભાઇ મલેક અને જહાગીર ગુલામ સરદાર મલેકની ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ આમોદ તાલુકાના કાંકરિયા ગામેથી 150 આદિવાસી લોકોનું ધર્માંતરણ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં અત્યાર સુધી 10થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે. જ્યારે મૂળ નબીપૂરના અબ્દુલ્લાહ ફેફડવાળા સહિત 5 આરોપી વોન્ટેડ હોય તેમની સામે વોરંટ પણ જાહેર કરાયા હતા.
0 Response to "પુરસા ગામે ધર્માંતરણ કાંડના 4 આરોપીઓ સામે વધુ 5 કલમોનો ઉમેરો, ભોલાવનો મૌલવી હજુ વોન્ટેડ"
ટિપ્પણી પોસ્ટ કરો