-->
અમદાવાદમાં જમાઈએ કહ્યું, મેં બીજા લગ્ન કરી લીધા છે, બંને પત્નીને સાથે રાખીશ, સાસુએ ના પાડતાં જમાઈએ છરીના ઘા માર્યા

અમદાવાદમાં જમાઈએ કહ્યું, મેં બીજા લગ્ન કરી લીધા છે, બંને પત્નીને સાથે રાખીશ, સાસુએ ના પાડતાં જમાઈએ છરીના ઘા માર્યા

 

અમદાવાદમાં જમાઈએ કહ્યું, મેં બીજા લગ્ન કરી લીધા છે, બંને પત્નીને સાથે રાખીશ, સાસુએ ના પાડતાં જમાઈએ છરીના ઘા માર્યા




પતિ અને પત્ની વચ્ચે સામાન્ય બાબતે થયેલો ઝગડો મોટું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. અમદાવાદમાં આડાસંબંધ ધરાવતા પતિએ પિયર આવેલી પત્નીની જાણ બહાર જ પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ પતિએ સાસરીમાં જઈને સાસુને કહ્યું હતું કે મેં બીજા લગ્ન કરી લીધા છે અને બંને પત્નીને સાથે રાખીશ. આ બાબતે સાસુ અને સસરાએ તેમની દીકરીને મોકલવાનો ઈનકાર કરતાં મામલો બિચક્યો હતો અને જમાઈએ સાસુને ચાકુ હુલાવી હત્યા કરી હતી. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં આરોપી જમાઈને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. આરોપી નાના-મોટા ગુનામાં સંડોવાયેલો હોવાથી તેની પત્ની રિસાઇને પિયર આવી ગઈ હતી.


પતિના ધંધા સારા નહીં હોવાથી પહેલી પત્ની પિયર આવી ગઈ હતી

પોલીસ ફરિયાદ પ્રમાણે, બાપુનગરમાં 51 વર્ષીય ટીનાભાઈ રાજભર તેમના પરિવાર સાથે રહે છે અને એક કન્સ્ટ્રકશન ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. તેમની દીકરીના લગ્ન દીપુ પગી સાથે વર્ષ 2020માં થયા હતા. દોઢેક વર્ષ સુધી તેમની દીકરી આ દીપુ સાથે રહી હતી. જમાઈ દીપુ ચોરીઓ કરતો હતો અને ઓઢવ પોલીસ સ્ટેશનમાં રિક્ષાની ચોરીમાં પકડાયો હતો, જેથી આ દીપુના ધંધા સારા ન હોવાથી તેમની દીકરી ઘરે પરત આવી ગઈ હતી.

જમાઈએ પહેલી પત્નીને ઘરે મોકલવા કહ્યું
ત્યાર બાદ દીપુએ અન્ય એક છોકરી સાથે લગ્ન કરી લીધા હતા અને અવારનવાર ટીના ભાઈના ઘરે આવતો હતો. દીપુ તેની સાસુને જણાવતો કે મેં બીજા લગ્ન કરી લીધા છે, પરંતુ હું તમારી દીકરીને રાખીશ અને બીજી પત્નીને પણ રાખીશ. તમારી દીકરીને મારી સાથે મોકલો એમ કહી ઝઘડો-તકરાર કરીને જતો રહેતો હતો. ગત રવિવારના રોજ ટીનાભાઇ રાત્રે નોકરી પરથી ઘરે આવ્યા અને બાદમાં ઘરની બહાર જમી પરવારીને બેઠા હતા એ દરમિયાન તેમની દીકરીનો પતિ દીપુ પગી તેમના ઘર પાસે દૂર ઊભો હતો અને બૂમો પાડીને કહેવા લાગ્યો હતો કે તમારી દીકરીને મારી સાથે મોકલો. જેથી ટીનાભાઇ અને તેમની પત્ની તેની પાસે ગયા હતા અને કહ્યું, તે બીજા લગ્ન કરી લીધા છે, જેથી મારી દીકરીને તારી સાથે નહીં મોકલીએ, આજ પછી આવતો નહીં.


સાસુએ ઈનકાર કરતાં ઉશ્કેરાયેલા જમાઈએ છરી હુલાવી

ટીનાભાઈએ આટલું કહેતાં દીપુ આવેશમાં આવી ગયો હતો અને ટીનાભાઇ અને તેમની પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ટીના ભાઈની પત્ની અને દીકરી બંને તેમને છોડાવવા વચ્ચે પડતાં દીપુ ઉશ્કેરાઈ ગયો હતો અને છરી કાઢી ટીનાભાઇને બે ઘા મારી દીધા હતા. એ વખતે ટીનાભાઈની પત્ની વચ્ચે પડતાં દીપુએ સાસુ સાવિત્રીબહેનને પણ પેટના ભાગે ચપ્પુ મારી દીધું હતું. ઘટના વખતે તેમણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી જતાં દીપુ પગી ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં ટીનાભાઇ અને તેમની પત્ની સાવિત્રીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં હતાં, જ્યાં સાવિત્રીબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જેથી ટીનાભાઈએ આ અંગે દીપુ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા, મારામારી ધમકી જેવી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




0 Response to "અમદાવાદમાં જમાઈએ કહ્યું, મેં બીજા લગ્ન કરી લીધા છે, બંને પત્નીને સાથે રાખીશ, સાસુએ ના પાડતાં જમાઈએ છરીના ઘા માર્યા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel