અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉસ્માનપુરામાં રોજ સવારે ફ્રીમાં યોગા ક્લાસ, આજથી પ્રારંભ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉસ્માનપુરામાં રોજ સવારે ફ્રીમાં યોગા ક્લાસ, આજથી પ્રારંભ
- લોકો સવારે 6:30થી 8:30 વાગ્યા સુધી નિઃશુલ્ક યોગા ક્લાસનો લાભ લઈ શકશે
શહેરીજનોના શરીરને સુદઢ તેમજ સૌષ્ઠવ બનાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લિમિટેડ તેમજ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં લોકો માટે ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક ખાતે નિઃ શુલ્ક યોગ વર્ગ ચાલુ કરવામાં આવેલા છે. આ યોગ કાર્યક્રમ લોકો માટે દરરોજ સવારે 6:30થી 8:30 કલાક સુધી યોજવામાં આવશે.
યોગ તન જ નહિ મન વૃદ્ધિ માટે પણ ખૂબ જરૂરી
યોગ સાધના એ આપણી પૌરાણિક પરંપરા છે. યોગ માત્ર તન જ નહિ પરંતુ મન વૃદ્ધિ માટે પણ ખૂબ જરૂરી છે. વહેલી પરોઢે નૈસર્ગિક સૌંદર્ય વચ્ચે યોગ કરવો તે પણ એક લ્હાવો છે. લોકોને આ તાણભર્યા વાતાવરણમાંથી મુક્ત કરવા તેમજ એક હેલ્પી હેબીટાટની રચના કરવા માટે નિઃ શુલ્ક યોગ એ નવતર પ્રયોગ છે. આ યોગ વર્ગનું ઉદ્ધાટન અખાત્રીજના દિવસે સવારે ઉસ્માનપુરા પાર્ક ખાતે સવારે 6: 30 કલાકે કરવામાં આવ્યું હતું. આ યોગ વર્ગમાં લોકોને દરરોજ યોગ વિષે વિવિધ જાણકારી મળશે. તેમજ "આસાન-પ્રાણાયામ'ના પણ વિવિધ લાભ વિષે માહિતી મેળવશે.

0 Response to "અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉસ્માનપુરામાં રોજ સવારે ફ્રીમાં યોગા ક્લાસ, આજથી પ્રારંભ"
ટિપ્પણી પોસ્ટ કરો