પાંડેસરા GIDCની અમીના ડાઈંગમાં આગ, સમયસર કર્મીઓ નીકળી જતા જાનહાનિ ટળી
પાંડેસરા GIDCની અમીના ડાઈંગમાં આગ, સમયસર કર્મીઓ નીકળી જતા જાનહાનિ ટળી
પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી અમીના ડાઇંગ મિલમાં મોડી રાત્રે શોર્ટસર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પહેલા માળે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં અફરાતફરી મચી ગઇ હતી. મિલમાં કામ કરતા કર્મચારીઓએ આગ ઓલવવા માટે પ્રયાસો કર્યા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કર્મચારીઓ બહાર દોડી ગયા હતા.
બનાવની જાણ થતા 6 ફાયર સ્ટેશનની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. મોડી રાત સુધી ફાયરબ્રિગડના લશ્કરો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો.ચીફ ફાયર ઓફિસર બસંત પરિખે કહ્યું હતું કે, આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સમય લાગશે આગમાં કોઈ ફસાયું નથી તેમજ કોઈને ઈજા કે જાનહાનિ થઇ નથી.
0 Response to "પાંડેસરા GIDCની અમીના ડાઈંગમાં આગ, સમયસર કર્મીઓ નીકળી જતા જાનહાનિ ટળી"
ટિપ્પણી પોસ્ટ કરો